અરવલ્લીના બાયડમાં અકસ્માત થયો છે, જેમાં કાર અને બાઈક વચ્ચે આ અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે, મહત્વનું છે કે, કાર ચાલક કાર મૂકીને ફરાર થયો છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો ત્યારબાદ બાઈકમાં આગ લાગી હતી.


અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં ત્રણના મોત

અરવલ્લીના બાયડમાં અકસ્માતમાં ત્રણના મોત થયા છે, આંબલિયારા નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માત થયો હતો, કાર સાથે ટક્કર બાદ બાઇકમાં આગ લાગી હતી, બાઇક પર જઇ રહેલા દંપતિ અને બાળકનું મોત થયું છે, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા પરંતુ બાઈક સવારને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા છે, એક જ પરિવારના સભ્યોનો માળો ખોરવાયો છે, ત્યારે પોલીસે આસપાસના સ્થાનિકોના પણ નિવેદન લીધા છે.

ચાલક અકસ્માત બાદ કાર મૂકી ફરાર

બાયડના આંબલિયારા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો, જીઈબી સબ સ્ટેશન નજીક આ ઘટના બની હતી અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો, બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે, તો પત્ની અને બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથધરી છે અને આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.


  • Follow us on: