ગુજરાતમા લાંચિયા અધિકારીઓ દ્વારા થતો ભ્રષ્ટાચાર વધુ પ્રમાણમા વકરી રહ્યો છે. લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા આવા અધિકારીઓને પકડી પાડવા માટે સક્રિયતા દાખવવામાં આવી છે. ત્યારે મોરબીમાં પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઈજનેરને ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા હતાં.
નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવે 20 હજારની લાંચ માંગી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં પી.જી.વી.સી.એલ કચેરીના નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવ લાંચના ગુનામાં ઝડપાઈ ગયાં છે. ફરિયાદી પોતાની કંપનીમાં સોલાર પેનલ લગાવવાનું કામ કરતા હોવાથી તેમના બંને સોલાર પ્લાન્ટમાં સમયસર ઈલેક્ટ્રિક મીટર લગાવવા તથા આક્ષેપિત દ્વારા લગાવવામાં આવેલા સોલાર પ્લાન્ટમાં કોઈપણ પ્રકારની હેરાનગતિ નહીં કરવા બાબતે નાયબ ઈજનેર મિનેષભાઇ જાદવે 20 હજારની લાંચ માંગી હતી.













