આણંદમાં હાર્ડવેરની દુકાનના માલિક સહિત 30 જેટલા વેપારીઓ સાથે અમદાવાદના શખ્સ સહિત ત્રણ લોકોએ બાંધણી ચોકડીએ ટ્રેડિંગની દુકાન બતાવીને 80 લાખથી વધુની રકમની ઠગાઈ આચરી હતી. આ ઘટનામાં પોલીસે ત્રણ લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસે 10 લાખથી વધુનો મુદ્દમાલ કબ્જે કર્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે આણંદમાં હાર્ડવેરની દુકાનના માલિક સહિત 30 જેટલા વેપારીઓ સાથે અમદાવાદના શખ્સ સહિત ત્રણ લોકોએ બાંધણી ચોકડીએ ટ્રેડિંગની દુકાન બતાવીને 80 લાખથી વધુની રકમની ઠગાઈ આચરી હતી. બાંધણી ચોકડીએ જલારામ ટ્રેડિંગ દ્વારા કરવામાં આવેલી ઠગાઈના કેસમાં પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.જલારામ ટ્રેડિંગના માલિક દ્વારા વેપારીઓ પાસેથી લાખો રૂપિયાનો માલ સામાન લઈ લીધો હતો.

જલારામ ટ્રેડિંગના માલિક સામે નોંધાયો હતો ગુનો

ઠગબાજોએ વેપારીઓ પાસેથી માલ લઈને પૈસા નહીં આપતાં મહેળાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને અમદાવાદ ખાતેના ગોડાઉનમાંથી 10 લાખથી વધુની રકમનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. જલારામ ટ્રેડિેગ દ્વારા વિવિધ જગ્યાએથી માલ ખરીદીને અમદાવાદના ગોડાઉનમા મુકી દીધો હતો. હાલ પોલીસે પીવીસી પાઈપ, કલર અને મશીનો સહિત 10 લાખથી વધુનો માલ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: