રાજકોટમાં બે કરોડ રૂપિયાની રકમ જેટલી ઠગાઈનો કેસ સામે આવ્યો છે. શહેરમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતા શખ્સે 1.99 કરોડની ઠગાઈ આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના મનીષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે કેશિયર વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ આચરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં અર્જુન જ્વેલર્સમાં કેશિયર તરીકે કામ કરતા હિતેષ પરમારે 1.99 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જ્વેલર્સના મનીષ પટેલે આ ઠગાઈ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ગ્રાહકોને ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ આચરી છે. જ્વેલર્સના નામે પૈસા ઉઘરાવી કેશિયર હિતેષ પરમાર ફરાર થઈ ગયો હતો.

ગ્રાહકોએ પૈસા અંગે જ્વેલર્સ પાસે ઉઘરાણી કરી

આરોપીએ અર્જૂન જ્વેલર્સના ગ્રાહકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી છેતરપિંડી કરી હતી. ગ્રાહકોએ પૈસા અંગે જ્વેલર્સ પાસે ઉઘરાણી કરતાં જ્વેલર્સના મનીષ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Ahmedabad : ખોખરાની બબાલમાં પોલીસે બંને પક્ષે સાત આરોપીઓની ધરપકડ કરી


  • Follow us on: