સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ગુનેગારો સામે કાયદાનો કોરડો વિંઝ્યા બાદ પણ કોઈ ડર રહ્યો ના હોય તેવી સ્થિતિ સામે આવી છે. શહેરના ઉન વિસ્તારમાં મહમદીનગરમાં ધાર્મિક બાબતે બે જૂથો વચ્ચે મોડી રાત્રે પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં પાંચથી સાત વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાની તપાસમાં પોલીસે 17 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પથ્થરમારો કરનારા 17 આરોપીઓની ધરપકડ

સુરત પોલીસે મહમદીનગરમાં ધાર્મિક બાબતે ઝઘડો થયા બાદ પથ્થરમારો કરનારા 17 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસમા પોલીસને સાત આરોપીઓ ઉપરથી પથ્થર ફેંકતા નજરે પડ્યા હતાં. જ્યારે 10 આરોપીઓ નીચેથી પથ્થર ફેંકતા હતાં. આ ઘટનામાં અબ્દુલ મલિક અને અબ્દુલ કાદિર મુખ્ય આરોપીઓ છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સકીલ બિનહનીફને માનનારા લોકોએ પથ્થરમારો કરાવ્યો

આ ઘચનામાં સ્થાનિક મુસ્લિમ આગેવાને ગંભીર આક્ષેપો કર્યા હતાં. ખાલિદ પઠાણ નામના આગેવાને આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કેટલાક લોકો આતંકી માનસિકતા વાળા છે. સકીલ બિનહનિફને માનનારા લોકોએ પથ્થર મારો કરાવ્યો છે. આ લોકોને વિદેશમાંથી ફંડિંગ મળે છે. આ ફંડનો ઉપયોગ સમાજમાં વિખવાદ પાડવા માટે કરે છે. આ ફંડિગથી મસ્જિદ અને ઈમારતો બનાવે છે. તેમણે આવી ઈમારતોને સીલ કરીને ડિમોલિશનની માગ કરી છે.


  • Follow us on: