સુરતના નાનપુરા વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. રામજી મંદિરના પૂજારીએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. આરોપી પૂજારી વિવેક કુમાર પ્રતિહાશે 37 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી હતી. અને બાદમાં તેની સાથે વિવિધ સ્થળોએ રેપ કર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં બીજા કયા લોકો સામેલ છે તે મામલે તજવીજ શરુ કરાઇ છે.


પૂજારી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ

સુરતમાં નાનપુરા વિસ્તારમાં આવેલા રામજી મંદિરના પૂજારી રેપ કેસમાં પકડાયા છે. તેઓએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. 26 વર્ષીય આરોપીએ છેલ્લા સાડા ત્રણ વર્ષ સુધી મહિલા સાથે દુષ્કર્મ કર્યા હોવાનું સામે આવ્યુ છે. સુરતના વિવિધ સ્થળોએ ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીએ લગ્નની ના પાડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો હતો. જે બાદ પોલીસે તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસ કાર્યવાહી શરુ

સુરતમાં મંદિરના પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ લગાત ચકચાર મચી છે. જ્યાં મંદિરના પવિત્ર સ્થળે ભગવાનની પૂજા કરનાર વ્યક્તિએ આ ગુનો આચર્યો છે. ત્યાં લોકોએ આ આરોપી પર ધિક્કાર વરસાવી છે. અને તેમને કડકમાં કડક સજા કરવા માગ કરાઇ છે. લગ્નની લાલચ આપ્યા બાદ મહિલાનો ફાયદો ઉઠાવનાર હવે જેલના સળિયા પાછળ છે. હાલ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસે આરોપી વિવેક કુમાર પ્રતિહાશની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 

  • Follow us on: