સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરમં પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા કરવામાં આવી છે. શહેરના લિંબાયતમાં ગઈકાલે રાતે એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના CCTV સામે આવ્યા છે. ત્રણ જેટલા હત્યારાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી છે.


ત્રણ જેટલા હત્યારાએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી

આરોપીઓએ એક બાદ એક ચપ્પુ ના ઘા જીકી હત્યા કરી છે. મૃતક યુવક આલોક અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઇ અગ્રવાલ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા શખ્સો હત્યા કરી ઘટનાસ્થળેથી ફરાર થયા છે. પોલીસે આ સમગ્ર મામલે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસનો બાતમીદાર હોવાની શંકામાં હત્યા

આ ઘટનાના CCTV સામે આવ્યા છે. તેમાં જોઈ શકાય છેકે 3 જેટલા લોકો છરી લઈને યુવક પર એક બાદ એક છરીના ઘા મારીને હત્યા કરી નાખે છે. આ આરોપીઓ રોડ પર જાહેરમાં છરી લઈને ફરતા હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. પોલીસે આ મામલે 3 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: