વડોદરાના આજવા રોડ પર બેસતા વર્ષની સવારે જ યુવકની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. અદાવતમાં કેટલાક તત્વોએ યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે.


જૂની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા

મળેલી માહિતી પ્રમાણે શહેરના આજવા રોડ પર રહેતા અક્ષય સોલંકી નામના યુવકની હત્યા થઇ છે. આજવા રોડ પર નારાયણધામ સોસાયટી ખાતે આ બનાવ બન્યો છે. જૂની અદાવતમાં હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. સમગ્ર મામલે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

નારાયણધામ સોસાયટી ખાતે અક્ષય સોલંકી નામના યુવકની હત્યા

શહેરના આજવા રોડ પર આવેલ નારાયણધામ સોસાયટી ખાતે અક્ષય સોલંકી નામના યુવકની હત્યા કરાઇ છે. અક્ષય સોલંકી ને સંતાનમાં ત્રણ વર્ષનો પુત્ર છે. મળેલી માહિતી પ્રમાણે અક્ષય સોલંકી મોડી રાત્રે ફ્રેન્ડ સર્કલ સાથે નારાયણ ધામ સોસાયટીમાં ગયો હતો

અક્ષય સોલંકી ફતેપુરા મંગલેશ્વર ઝાંપાનો રહેવાસી

અક્ષય સોલંકી ફતેપુરા મંગલેશ્વર ઝાંપાનો રહેવાસી છે. જૂની અદાવત હોવાના કારણે હત્યાની આશંકા છે . જો કે પોલીસે આ મામલે ગુનો નોંધીને હત્યા કયા કારણોસર થઈ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

 પરિવારજનો પર આભ તૂટી પડ્યું

બેસતા વર્ષની સવારે યુવકની હત્યા થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. અક્ષયના પરિવારે હત્યા કરનાર આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી છે. ઘટનાના પગલે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા હત્યા કરનારાઓની શોધખોળ હાથ ધરાઇ છે

  • Follow us on: