ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા કેનાલ, સંત સરોવર ખાતે પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કુલ 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ













