ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. CM દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલમાં મળતા મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને 53% ના બદલે 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે અને તેઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ મળશે













