ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. સંત સરોવરમાં 66 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા પાણી છોડ્યું છે. સતત ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાયું છે. સંત સરોવરમાંથી 82 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મંત્રી કુંવરજી બાવળીયાએ સંત સરોવરની મુલાકાત લીધી છે.


ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવક 

સંત સરોવરમાં પાણીની આવક થઈ છે. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન આપ્યું કે ધરોઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસ્યો છે. ધરોઈ ડેમમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. સાબરમતી ડેમના તમામ 4 ડેમો પરથી પાણી છોડાયું છે. સતત તંત્ર સાથે સંપર્કમાં છીએ. સતત ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાઇ રહ્યું છે. 82 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. 66 હજાર ક્યુસેક પાણીની ઉપરવાસમાંથી આવક ચાલુ છે.

 ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાયું 

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. સંત સરોવરમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે જ તંત્ર દ્વારા આસપાસના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સતત ત્રીજા દિવસે સંત સરોવરમાંથી પાણી છોડાયું છે. સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થતા નીચાણવાળા ગામો એલર્ટ કરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ચારે તરફ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.


  • Follow us on: