વડાપ્રધાન મોદીએ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કાર્યકાળની ઉજવણી રાજ્યમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી હાકલને લઈને મંત્રીઓ અને અધિકારીઓ હવે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરથી વંદેભારત ટ્રેન મારફતે નવસારી જવા રવાના થયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદેભારત ટ્રેનમાં મુસાફરો સાથે ચર્ચાઓ કરી હતી. 





મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્રેનમાં બેસી વલસાડ જવા રવાના થયા

આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ જવા રવાના થયા હતાં. તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ જોડાયા હતાં. બંને નેતાઓ ટ્રેન મારફતે વલસાડ જવા રવાના થયા હતાં. વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલી ઈંધણ બચાવવાની હાકલને લોકો સુધી પહોંચાડવા અને લોકોને આ મુદ્દે જાગૃત કરવા મુખ્યમંત્રીએ પોતાના કાફલાની જગ્યાએ ટ્રેનમાં મુસાફરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ એસટી બસ અને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે.  

આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે

નવસારી જિલ્લાના ખેરગામ અને ચીખલી ખાતે બે દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. વલસાડ અને નવસારી રેલવે સ્ટેશનની આસપાસ વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા શરૂ કરી દેવાઈ હતી. ટ્રાફિક વ્યવસ્થા અને ગેરકાયદે દબાણો દૂર કરવાની પણ કામગીરી હાથ ધરાઈ હતી. 

આ પણ વાંચોઃ Ahmedabad News: ગરમીને કારણે ખેડૂતોના પાક સુકાવાની ભીતિ, પાણી અને વીજળી માટે મુખ્યમંત્રીને રજૂઆત



  • Follow us on: