ગુજરાતના આદિવાસી સમાજના વર્તમાન પ્રશ્નો અને આગમી કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવા માટે આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્પૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા અને આદિવાસી સમાજના હિતરક્ષક ડો. તુષાર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરી રહ્યા હાજર

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ડો. તુષાર ચૌધરીએ રાજ્ય સરકાર પર આદિવાસી વિરોધી નીતિઓ અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ખાસ કરીને બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. પ્રથમ મુદ્દો મેનેજમેન્ટ ક્વોટામાં ફ્રીશિપ કાર્ડ દ્વારા પ્રવેશનો હતો. તુષાર ચૌધરીએ જણાવ્યું કે, અમે મેનેજમેન્ટ કવોટામાં ફ્રીશિપ કાર્ડમાં પ્રવેશનો વિરોધ કરીએ છીએ. આનાથી આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય થશે.

લાખો આદિવાસી બેઘર થશેઃ તુષાર ચૌધરી

બીજો અને વધુ ગંભીર મુદ્દો તાપી પાર લીનક યોજનાનો હતો. ચૌધરીએ આકરા શબ્દોમાં સરકારને ઘેરી લેતા જણાવ્યું કે, તાપી પાર લિંક યોજનાનો વિરોધ થયા બાદ સરકારે તેને સ્થગિત કરી હતી પરંતુ ગઈકાલે ફરી એનું નોટિફિકેશન આવ્યું છે. જો આ યોજના આગળ વધશે તો લાખો આદિવાસીઓ બેધર થશે. તેમણે સરકારને સ્પસ્ટ શબ્દોમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવા માંગ કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે કે તેઓ આદિવાસીઓના પક્ષે છે કે પછી તેમને બેઘર કરવાના પક્ષે.


  • Follow us on: