ગુજરાતમાં ચકચાર મચાવનાર સાયકો કિલર તરીકે ઓળખાતા વિમલ પરમારના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. વિમલ પરમાર જેણે એક જ અઠવાડિયામાં ત્રણ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ જ તેના મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.


ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર

વિમલ પરમારના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તેના માતા અને બહેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમના આ નિર્ણય પાછળનું કારણ વિમલે કરેલા ઘૃણાસ્પદ ગુનાઓ અને સમાજમાં પરિવારની થયેલી બદનામી હોવાનું માનવામાં આવે છે. આખરે વિમલ પરમારના સાવકા ભાઈએ આગળ આવીને તેના અંતિમ સંસ્કારની જવાબદારી ઉપાડી હતી.

વિપુલના માતા અને બહેને અંતિમ સંસ્કારની પાડી હતી ના

ગાંધીનગર સેક્ટર 30 ખાતે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કારની વિધિ ખૂબ જ સાદગીપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમ સમાજમાં ગુનાખોરી અને તેના પરિણામો અંગે એક ગંભીર ચિત્ર રજૂ કરે છે. એક વ્યક્તિના કૃત્યો તેના પરિવાર અને સમાજ પર કેટલી ઊંડી અસર કરી શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. વિમલ પરમારના અંતિમ સંસ્કારની જવાબદારી તેના સાવકા ભાઈ દ્વારા સ્વીકારવામાં આવતા આ મામલાનો એક કરુણ અને દુઃખદ અંત આવ્યો છે.


  • Follow us on: