ગાંધીનગરમાં રાંદેસણ પાસે બે નિર્દોષ લોકોનો ભોગ લેનાર અને પાંચથી વધુ વાહનોને અડફેટે લેનાર 'રફતારના રાક્ષસ' હિતેશની નફ્ફટાઈ સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના તેણે ઉડાઉ જવાબી આપ્યા હતા અને બે લોકોના મોતના જવાબદાર હોવા છતાં તેના ચહેરા પર સહેજ પર અફસોસ દેખાઈ રહ્યો નહતો.


રફતારના રાક્ષસ હિતેશ પટેલની નફ્ફટાઈ

સંદેશ ન્યૂઝની ટીમ ગાંધીનગરના સેક્ટર 5B માં આવેલા આરોપી હિતેશ પટેલના ઘરે પહોંચી હતી. જયારે તેને આ ભયાનક અકસ્માત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે "મે નશો નથી કર્યો" તેવો બેશરમ જવાબ આપ્યો હતો. આ નિવેદન તેની બેજવાબદારી અને માનવીય સંવેદનાના અભાવ સ્પષ્ટપણે દર્શાવે છે. આ ઘટના સમાજમાં કાયદાના અમલ અને જવાબદાર નાગરિકતાના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આવા બેજવાબદાર ડ્રાઈવરોને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે. હિતેશ પટેલ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરવર્તન ન થાય.

બે ના મોત બાદ પણ ચહેરા પર નથી અફસોસ

તમને જણાવી દઈએ કે, હિતેશ પટેલે ફૂલ સ્પીડમાં કાર હંકારીને બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. આ ઘટનામાં પાંચથી વધુ વાહનોને પણ નુકસાન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, હિતેશ પટેલ સામે આગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં NDPS એક્ટ હેઠળના ગુનાઓનો પણ સમાવેશ થાય છે. જે દર્શાવે છે કે તે ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા છે.


  • Follow us on: