ગીર સોમનાથના કોડિનારમાં સિંહની લટાર જોવા મળી હતી. મિતીયાજ ગામમાં અડધી રાત્રે એક સાથે 9 સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વનરાજા જંગલ છોડીને ગામમાં અડધીરાત્રે જોવા મળતા ખેડૂત પરિવારે ભય હેઠળ રાત ગુજારી હતી. માલીવાવ વિસ્તારમાં સિંહે પશુનું મારણ કર્યું હતું.


9 સિંહોની લટાર જોઈ લોકો ભયમાં

કોડીનાર તાલુકાના મિતીયાજ સહિત આસપાસના ગામોમાં છેલ્લાં ઘણાં દિવસોથી જંગલી જાનવરોએ હાહાકાર મચાવ્યો છે. ગત રાત્રીના 3 વાગ્યાના સમયે ગામમાં આવેલા માલીવાવ વિસ્તારમાં 9 સિંહો ત્રાટકતા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. માલીવાવ વિસ્તારમાં રહેતા ખેડૂત બાબુભાઈ પરબતભાઇ ગોહિલના પશુઓનું મારણ કરી સિંહ પરિવારે મેજબાની માણી હતી. સિંહ પરિવારે ધામા નાખતા ખેડૂત પરિવારે ભયના ઓથાર હેઠળ રાત્રિ ગુજારી હતી.

જૂનાગઢમાં પણ દેખાયો સિંહનો પરિવાર

તમને જણાવી દઈએ કે, માત્ર ગીર સોમનાથમાં જ નહીં પરંતુ જૂનાગઢના વિલિંગ્ડન ડેમ નજીક ત્રણ સિંહ જોવા મળ્યા હતા. વનરાજા સિંહ સાથે 2 સિંહબાળ જોવા મળી રહ્યા છે. સિંહ પોતાના પરિવાર સાથે ચોમાસાની ઋતુનો આનંદ માણવા નિકળ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢના વિલિંગ્ડન ડેમ નજીક 3 સિંહ રસ્તો ક્રોસ કરતા દેખાયા હતા. ડેમના પાણી વચ્ચેથી સિંહ 2 બાળસિંહ જોવા મળ્યા હતા અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સિંહ રાત્રિના સમયે પસાર થતાં કેમેરામાં કેદ થયા છે. ડેમનો રસ્તો ક્રોસ કરતા ત્રણ સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


  • Follow us on: