ગીર સોમનાથના તાલાલામાં વીજ ધાંધિયાના પગલે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. શ્રીબાઈ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓ રોષે ભરાય PGVCL કચેરીએ દોડી આવી હતી. સતત 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે.
વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓમાં રોષ













