શિક્ષણ જગતમાં વર્તમાન સમયમાં હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો પોતાની ફેકલ્ટીઓને રજૂઆત કરતા જોવા મળી રહ્યા છે. કોઇ સ્થળે એડમિશન પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. તો કોઇ સ્થળે કોલેજોની માન્યતા રદ્દ થઇ રહી છે. કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિવાદ સર્જાતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર જોવા મળે છે. તેમ છતાં જો કોઇ નિકાલ ન આવે તો પ્રદર્શનો એક માત્ર ઉપાય રહે છે.


કોલેજોની માન્યતા રદ્દ

વિદ્યાર્થીઓના ભણતર પર ત્યારે મોટો પ્રશ્ન ઉભો થાય છે જ્યારે કોલેજોમાં ફી વધારો કરવામાં આવે અથવા કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવે. નરસિંહ મહેતા યુનિવર્સિટીએ 3 કોલેજની માન્યતા રદ્દ કરી છે. તો આ તરફ, ગીર સોમનાથની બે કોલેજની માન્યતા રદ્દ કરવામાં આવી છે. માંગરોળની એક કોલેજની માન્યતા રદ્દ કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉકાભાઈ ડોડિયા બી.એડ કોલેજની પણ માન્યતા રદ્દ કરવામાં આવી છે. NCTE દ્વારા કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે.

વિરોધ પ્રદર્શનો તેજ

શિક્ષણ જગતમાં થઇ રહેલા ફેરફાર વિદ્યાર્થીઓ પર મોટી અસર કરે છે. જેના કારણે તેમની ભણતર પ્રક્રિયા પ્રભાવિત થાય છે. યુનિવર્સિટી અને કોલેજોમાં થતાં ફેરફાર સામે વિદ્યાર્થી સંગઠનો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. વિવિધ કોલેજોને માન્યતા રદ્દ થતાં હવે વિરોધનાં વંટોળ જોવા મળી રહ્યા છે. અને સુત્રોચ્ચાર સંભળાઇ રહ્યા છે. 

  • Follow us on: