ગીર સોમનાથ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન પાકને થયું છે ત્યારે પાક નુકાસનીનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, 6 તાલુકાના 49 ગામમાં સર્વે શરૂ કરવામાં આવશે અને 155થી વધુ કર્મચારીની ટીમ સર્વે કરશે તેવી વાત સામે આવી છે, કૃષિ પ્રગતિ એપથી ડિજીટલ સર્વે કરવામાં આવશે અને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ રાજય સરકારને સોંપાશે.
જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે સર્વેના આદેશ
ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 49 ગામોમાં હાથ ધરવામાં આવશે પાક નુકસાનીનો સર્વે જેમાં 155થી વધુ ગ્રામ સેવકો, વસીસીની ટીમ સ્થળ પર પહોંચશે અને "કૃષિ પ્રગતિ" એપ્લિકેશનના માધ્યમથી પાક નુકસાનનો ઓનલાઈન સર્વે કરશે, જે કિસ્સામાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં અસરગ્રસ્ત પાકના ખેતરના નુકસાનીનો અક્ષાંશ-રેખાંશ વાળા ફોટોગ્રાફ્સ મેળવવાના રહેશે તો DDO અને જિલ્લા કલેક્ટર દ્વારા કરાયો લેખિત આદેશ અને તમામ તાલુકામાં સર્વે ટીમ પર કલાસ વન અધિકારીની નોડલ તરીકે નિયુક્તિ કરાઈ છે.













