સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલ આરસોડીયા ગામ પાસેના સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકથી પસાર થતી નદીમાં મગર દેખાતા લોકોમાં ભય અને અચરજનો માહોલ ફેલાયો હતો. જ્યાં એક મગરે શ્વાનનો શિકાર કર્યો હતો. જેનો વીડિયો ત્યાંના સ્થાનિકે પોતાના મોબાઈલમાં ઉતાર્યો હતો. મગરને લઈ લોકોમાં ડરનું મોજું ફરી વળ્યું હતું. શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા હોવાથી સપ્તેશ્વર મહાદેવના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આ ભક્તો મંદિરના દર્શન બાદ નદીમાં સ્નાન પણ કરતા હોય છે.
સપ્તેશ્વર નદીના પટમાં મગરે શ્વાનનો શિકાર કર્યો













