આજે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 226 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાય ઓવરનો રાજકોટ અને ખંભાળિયા તરફથી આવતા વાહન ચાલકો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ જામનગરવાસીઓને રૂ. 622‎ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા ‎69 જેટલા વિકાસ પ્રકલ્પોની ભેટ ‎આપી હતી. તેમણે રૂ.‎487.62 કરોડના ખર્ચે પૂર્ણ ‎થયેલાં વિવિધ કામોનું લોકાર્પણ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ કર્યું હતું.


અમે આવીએ કે ના આવીએ પણ આ શહેર હંમેશા સ્વચ્છ રહે છે

મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, જામનગર શહેરને સ્વચ્છ રાખતા સફાઈ કર્મીઓને સૌએ સહકાર આપવો જોઈએ. રસ્તા પર કચરાના ઢગલા કરવાનું બંધ કરવું જોઈએ. આજે જામનગરની સફાઈ જોઈને આનંદ થાય છે. અમે અહીં આવીએ ત્યારે જ સફાઈ થાય છે. તેમ મનમા તમે પણ હસતા હશો. મારી પાસે એવી માહિતી છે કે અમે આવીએ કે ના આવીએ પણ આ શહેર હંમેશા સ્વચ્છ રહે છે. આના માટે તમારો સહકાર ખૂબ જ જરૂરી છે.

સફાઈ કર્મીને આપણા સહકારની જરૂર છે

મુખ્યમંત્રીએ જામનગરમાં સફાઈને લઈને ટકોર કર્યા બાદ એવું પણ કહ્યું હતું કે, ઘણી વાર એવું પણ જોવા મળે છે કે, સફાઈ કરીને સફાઈ કર્મી થોડો આગળ જાય અને બીજા કોમ્પલેક્સમાં કચરાનો ઢગલો કરતો જોવા મળે. આ લોકો જે કામ કરી રહ્યાં છે તેને સૌ લોકોએ સહકાર આપવો જોઈએ. તેઓ સારૂ કામ કરે છે માત્ર સહકારની જરૂર છે. તેણે કરેલી સફાઈની જગ્યાએ ફરીવાર કચરાના ઢગલા ના થાય તેનું આપણે ધ્યાન રાખવાનું છે.

આ પણ વાંચોઃ Gujarat News: મુખ્યમંત્રી નવસારીમાં રાજ્યના 13મા અદ્યતન બસ પોર્ટનું આવતીકાલે લોકાર્પણ કરશે


  • Follow us on: