આજથી એટલે કે 23 જૂન 2026થી જૂનાગઢનું ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું છે.ચોમાસાની ઋતુ અને વન્યજીવોના પ્રજનનકાળને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.જે અંતર્ગત આગામી ચાર મહિના સુધી પ્રવાસીઓને જંગલ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ રહેશે.આ સમયગાળા દરમિયાન જંગલના ઇકોસિસ્ટમને ખલેલ ન પહોંચે અને વન્યજીવો સુરક્ષિત રીતે પ્રજનન કરી શકે તેવો મુખ્ય હેતુ રહેલો છે.


જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે

અભયારણ્ય બંધ હોવા છતાં પ્રવાસીઓ માટે દેવળિયા સફારી પાર્ક અગાઉની જેમ જ ખુલ્લું રાખવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓ નિર્ધારિત સમયમાં વન્યજીવોને નિહાળી શકે છે.આ સાથે જ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે.જેથી વન્યજીવોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.કોઈપણ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિ કે ઈમરજન્સીના સમયે વન વિભાગ દ્વારા ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવશે.

પ્રવાસીઓને કડક સૂચના આપવામાં આવી છે

વન વિભાગ દ્વારા તમામ પ્રવાસીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન કરે.ખાસ કરીને પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે અભયારણ્યની મુલાકાત લેતી વખતે વન્યજીવોને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચાડે અને પર્યાવરણનું જતન કરે.નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેથી પ્રવાસીઓએ આ બાબતે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

આ પણ વાંચોઃ Jamnagar GIDCમાં SGSTનો મેગા દરોડો: રૂ.23.08 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં પિતા-પુત્રની ધરપકડ



  • Follow us on: