પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, તથા ૮ ગુજરાત બટાલિયન એન.સી.સી. પ્રાયોજીત એન.સી.સી. ભાઈઓ માટે ખડક ચઢાણ બેઝિક કોર્સ તા. ૧૮/૧૧/૨૦૨૫ થી તા.૨૭/૧૧/૨૦૨૫ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો, જેમાં ભારતભરમાંથી અલગ અલગ ૧૩ રાજ્યના ૧૦૧ જેટલા એન.સી.સી. ભાઈઓએ તાલીમ લીધી.


પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન કર્નલ અમિત ત્યાગી કમાન્ડીંગ ઓફ્સિર, ૮ ગુજરાત બટાલિયન, સુબેદાર મેજર બલવંતસીંગ, કે.પી.રાજપૂત પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટઆબુ, ઉપેન્દ્રસિંહ રાઠોડ ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

તાલીમાર્થીઓને વિગતવાર સમજણ આપી

આ તકે કર્નલ અમિત ત્યાગીએ તાલીમાર્થીઓને વિગતવાર સમજણ આપી, વધુમાં પ્રોત્સાહન આપતા કહ્યું કે જીવનમાં સફળ થવા માટે ખુબ જ ધગસ સાથે મહેનત યોગ્ય દિશામાં લગાડવા જણાવ્યું હતું. ઉપરાંત તાલીમાર્થી લક્ષ્ય પાઠક તથા ઓમ સાંગવાન દ્વારા કેમ્પના અનુભવો અંગે તેમનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, સૌ પ્રથમ કોર્ષમાં તકલીફ પડી પછી ધીમે ધીમે ઇન્સ્ટ્રકટરના માર્ગદર્શન હેઠળ અનુકુલન સાધતા થઈ ગયા હતા.


આ પણ વાંચોઃ 

  • Follow us on: