જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાની આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં હાજરીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આ ઘટનાએ જૂનાગઢના રાજકારણમાં કોઈ મોટો ભૂકંપ સર્જાય તેવી સંભાવનાઓ ઊભી કરી છે. અમરાપુર બેઠકનાં આકાળા અને વિરડી ગામે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
AAPની સભામાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાની હાજરી













