ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં વરસાદ ખાબકતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. ગરબાના મેદાનમાં પણ પાણી ભરાઈ જતાં ખેલૈયાઓની મજા બગડી હતી. હવે ભારે વરસાદ અને પવનને કારણે ગાંધીધામમાં રાવણદહનનો કાર્યક્રમ મોકૂફ રાખવા ગામના અગ્રણીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વરસાદને કારણે પાણી ભરાઈ જતાં નિર્ણય લેવામાં આવ્યો છે.
વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર કાર્યક્રમ રદ
પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છ જિલ્લામાં આ વખતે સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં ભુજ, રાપર, સામખિયાળી અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદે ખેલૈયાઓની ગરબા રમવાની મજા બગાડી છે. હવે ગાંધીધામમાં જ્યાં રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ગામના અગ્રણીઓ દ્વારા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.













