કચ્છ જિલ્લામાં ભૂકંપના આચંકામાં વધારો થયો છે. કચ્છમાં વધતા ભકૂપંના આંચકાને લઈને સિસ્મોલોજી વિભાગના ડિરેકટર જનરલ સુમેર ચોપરાએ જણાવ્યું કે નાના ભૂકંપ આવવા એક રીતે સારી બાબત છે. કચ્છમાં સરેરાશ મહિનામાં 2 વખત ભૂકંપ આવે છે. જો કે મોટાભાગના ભૂકંપની તીવ્રતા 3ની આસપાસ હોય છે. કચ્છમાં ભૂકંપની હાલની એક્ટિવિટી નોર્મલ છે.


ચાલુ વર્ષે 12 કરતા વધુ આંચકા આવ્યા

કચ્છ રિઝિયન ઝોન-5માં આવતો હોવાના કારણે તેમજ ફોલ્ટલાઇન વધુ હોવાથી કચ્છમાં ભૂકંપના આંચકા વધુ આવે છે. 2001 બાદથી સતત ભૂકંપના આંચકા વધ્યા છે તેમ સુમેર ચોપરાએ જણાવ્યું. વધુમાં તેમણે કહ્યું કે નાના ભૂકંપ આવવા એ સારી બાબત છે કારણ કે જો નાના આચંકા બંધ થશે તો મોટા આચંકા આવશે. ચાલુ વર્ષે 12 કરતા વધુ આંચકા આવી ચૂક્યા કહી શકાય કે સરેરાશ મહિનામાં 2 આંચકા કચ્છમાં આવતા હોવાનું છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે. જો કે હાલમાં કોઈ નવો ફોલ્ટ એક્ટિવ નથી થયો. 

2001નો વિનાશકારી ભૂકંપ

ઉલ્લેખનીય છે કે 2001માં 26 જાન્યુઆરી દિવસ ગુજરાત માટે કાળો દિવસ બની રહ્યો. ભારતના 52માં પ્રજાસત્તાક દિવસે સવારે 8.46 કલાકે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 2 મિનિટ કરતાં વધુ ચાલ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી 9 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ બાજુ હતું. આ ભૂકંપમાં 20,000 લોકોના મોત થયા હતા. કચ્છમાં આવેલ આ ભૂકંપ ફક્ત ગુજરાત જ નહીં ભારત માટે પણ વધુ વિનાશકારી ભૂકંપ હતો. જો કે 2022માં કચ્છમાં સાડા ચાર મેગ્નિટયુડના ભૂકંપના આંચકા આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગના ડિરેકટર જનરલ મુજબ કચ્છમાં ભૂકંપની સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છીએ.

  • Follow us on: