કચ્છ યુનિવર્સિટીમાં થયેલા કથિત ભરતી કૌભાંડનો મામલો વધુ ગરમાયો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે રજિસ્ટ્રાર, ઇન્ચાર્જ કુલપતિ અને કાયમી કુલપતિ વિરુદ્ધ ખાતાકીય તપાસની માગણી કરી હતી. યુવરાજસિંહનો આક્ષેપ હતો કે યુનિવર્સિટીએ નિયમો વિરુદ્ધ જઈને ભરતીઓ કરી હતી. જેના કારણે રાજ્યના શિક્ષણ વિભાગે તેને રદ કરવાનો આદેશ પણ આપ્યો હતો. યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને ચાર સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી.
વિધાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા ખાતાકીય તપાસની માંગ કરી













