મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. મોતીપુરા ગામના 53 વર્ષીય નટવરભાઈ ચાવડા શેઢી નદીના પ્રવાહમાં તણાઈ જતાં તેમનું મોત નિપજ્યું છે. ગતરોજ સાંજે નટવરભાઈ મોતીપુરાથી પાલીખંડા ગામે દૂધ ભરાવવા ગયા હતા. આધેડ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી દીધી હતી.
પાલીખંડા ગામે દૂધ ભરાવવા જતા તણાયા આધેડ













