માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં થયેલા કૌભાંડ બાદ નવી બની રહેલી હોસ્પિટલનું બાંધકામ પણ હલકી કક્ષાનું હોવાની લોકોએ ફરિયાદ કરી છે. કોન્ટ્રાક્ટરો બેફામ બનીને સરકારી બિલ્ડીંગો બનાવામાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેનો આ ભઉરાવો છે.
દવાખાનાના બિલ્ડિંગના નબળા બાંધકામ અંગે અનેક ફરિયાદો
માંગરોળ તાલુકાના હુશેનાબાદ ગામે બની રહેલા દવાખાનાના બિલ્ડિંગના નબળા બાંધકામ અંગે અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠીયાએ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને નબળી કામગીરી સ્પષ્ટ રીતે જણાતાં તાત્કાલિક ધોરણે આ બાંધકામનું કામ બંધ કરાવ્યું છે.













