અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે એસીબીએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલાની વિગત મુજબ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) હેઠળના એક વોરંટની બજવણી કરવાની હતી. આ વોરંટની બજવણી કરવાના બદલામાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વતી ₹3,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું.
ખાનગી વ્યક્તિ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
એસીબી દ્વારા ગોઠવવામાં આવેલી ટ્રેપ દરમિયાન, પોલીસ કર્મચારીઓ વતી લાંચની રકમ સ્વીકારવા આવેલા વચેટિયા (ખાનગી વ્યક્તિ) વિષ્ણુભાઈ પટેલને ₹3,000ની રોકડ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત અન્ય બે વ્યક્તિઓની સંડોવણી પણ સામે આવી છે. એસીબીએ ભ્રષ્ટાચાર નિરોધક અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













