અમદાવાદના નરોડા વિસ્તારમાં અરવિંદ મિલના ગેટ સામે રસ્તામાં ખાડાના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં પંજાબથી દર્શનાર્થે આવેલી 28 વર્ષીય મહિલાનું મોત થયું છે


ખાડામાં પડેલી ટ્રકે ટક્કર મારી

માહિતી અનુસાર, આયસર ટ્રક આ ખાડાના ખાબકતાં તેણે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો જેના કારણે મહિલાને ટક્કર વાગી હતી. આ ઘટનાએ સ્થાનિક વાસીઓમાં ભારે રોષ જોવા મળે છે.

રાતોરાત તંત્ર ઘટનાસ્થળે ખાડો પૂરવાની કામગીરી કરવા મજબૂર

અકસ્માત બાદ રાતોરાત તંત્ર ઘટનાસ્થળે ખાડો પૂરવાની કામગીરી કરવા મજબૂર થયું, પરંતુ સ્થાનિકો એ પણ આક્ષેપ કરે છે કે અકસ્માત સ્થળથી માત્ર 50 મીટરના અંતરે વધુ એક મોટો ખાડો હજુ છે.

શહેરના તમામ રસ્તાઓનું યોગ્ય અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે

સ્થાનિકોના જણાવ્યા મુજબ, તંત્ર માત્ર અકસ્માત બાદ જાગ્યું છે પણ નિયમિત રીતે રસ્તાની જાળવણીમાં ઘોર બેદરકારી જોવા મળે છે. તેમને માંગ છે કે શહેરના તમામ રસ્તાઓનું યોગ્ય અને નિયમિત નિરીક્ષણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુઃખદ અકસ્માતો ટળી શકે.


આ પણ વાંચો-----   Surat: ફેમિલી કોર્ટે 7 વર્ષની દીકરીને દીક્ષા મામલે આપ્યો ચૂકાદો

  • Follow us on: