અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય પ્રાણી-પક્ષીઓના બ્રિડિંગ સેન્ટર પર દરોડામાં ક્રાઇમ બ્રાંચે કાચુ કાપ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
ક્રાઇમબ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો
નવરંગપુરામાં બ્રિડિંગ સેન્ટરમાં દરોડા બાદ ક્રાઇમબ્રાન્ચે માત્ર જાણવાજોગ દાખલ કરીને સંતોષ માન્યો છે. નવરંગપુરા વિસ્તારમાં જે જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યાં અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ તેમજ પક્ષીઓને રાખવામાં આવ્યા હતા.













