અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં પત્નીના માનસિક ત્રાસ અને અનૈતિક સંબંધોથી કંટાળીને એક પતિએ જીવન ટૂંકાવ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપી પત્ની ભગવતી દેસાઈની રાણીપ પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, પતિ દશરથભાઈના આપઘાત બાદ ભગવતી ફરાર થઈ ગઈ હતી, જેને પોલીસે જહેમત બાદ ઝડપી પાડી છે.
અંતિમ વિડીયોમાં ખોલ્યું પત્નીનું કાળું કરતૂત
મૃતક દશરથભાઈએ મોતને ભેટતા પહેલા એક ચોંકાવનારો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોમાં તેમણે પોતાની પત્ની ભગવતીના ત્રાસની વિગતો આપતા જણાવ્યું હતું કે, ભગવતી તેમને વારંવાર પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી દબાવતી હતી. આ ઉપરાંત, વિડીયોમાં તેમણે ભગવતી, લસી, મહેશ, ભીખાભાઈ અને સુરેખા જેવા લોકોના નામ આપીને તેમને પોતાના મોત માટે જવાબદાર ગણાવ્યા હતા.













