અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ફ્લિપકાર્ટના વેરહાઉસમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ચાંદખેડા ગામમાં આવેલ આ વેરહાઉસમાંથી ધુમાડાના ગોટા દેખાતા આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.
બધા કર્મચારી સુરક્ષિત છે
આ મામલે ફ્લિપકાર્ટના પ્રવક્તા દ્વારા જણાવાયું છે કે આજે અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલ એક વ્યાવસાયિક કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના અંગે જાણકારી ધરાવીએ છીએ. અમારી સૌથી મોટી પ્રાથમિકતા અમારા કર્મચારીઓની સલામતી છે. અમે ખાતરી આપી શકીએ છીએ કે બધા કર્મચારી સુરક્ષિત છે અને કોઈને ઇજા નથી પહોંચી.
આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગમાંથી શરૂ થઈ
પ્રારંભિક માહિતી અનુસાર, આગ કોમ્પ્લેક્સના અન્ય ભાગમાંથી શરૂ થઈ અને બાદમાં અમારા માઇક્રો-ફુલફિલમેન્ટ સેન્ટર સહિત નજીકની સુવિધાઓ સુધી પહોંચી.
જરૂરી ફાયર સેફ્ટી મંજૂરીઓ ધરાવીએ છે
અમારી સુવિધા તમામ લાગુ પડતા સલામતી નિયમોનું પાલન કરતી છે અને જરૂરી ફાયર સેફ્ટી મંજૂરીઓ ધરાવે છે. અમારી ઓનલાઈન ટીમે તરત જ કાર્યવાહી કરી અને ઇમરજન્સી સેવાઓ સાથે મળીને આગ કાબૂમાં લાવવા માટે સહયોગ આપ્યો.
સત્તાવાળાઓ સાથે પૂરો સહકાર રાખી કામ કરી રહ્યા છીએ
હાલમાં અમે સ્થાનિક સત્તાવાળાઓ સાથે પૂરો સહકાર રાખી કામ કરી રહ્યા છીએ, જે પરિસ્થિતિને સંભાળી રહ્યા છે અને તેની તપાસ કરી રહ્યા છે. જેમ જ નવી માહિતી ઉપલબ્ધ થશે, અમે તેને શેર કરીશું.
આ પણ વાંચો---- Ahmedabad:ચાંદખેડામાં ફ્લિપકાર્ટના વેરહાઉસમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે