અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલેન્દ્ર પાંડેનો એક ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે હરિભક્તોને ગુંડાગીરી માટે ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે.


ધાર્મિક ગુરુના નિવેદન પર વિવાદ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેના પગલે ધાર્મિક ગુરુના નિવેદન પર વિવાદ ઊભો થયો છે.

ટાર્ગેટ કરીને ટીચી નાખો

વિડિયોમાં કૌશલેન્દ્ર પાંડે કહે છે કે તમને હું મારવાની છૂટ આપું છું. ટાર્ગેટ કરીને ટીચી નાખો, હું પોલીસને જોઈ લઈશ.

ફરિયાદ મારી પાસે આવવી જોઇએ, તમે ટીચીને આવ્યા છો

તે એમ પણ કહે છે કે ફરિયાદ મારી પાસે આવવી જોઇએ, તમે ટીચીને આવ્યા છો. તમારે તહોમતદાર જ થવું, ન કે ફરિયાદી. તે એમ પણ કહે છે કે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો પણ છૂટી જાય છે.

ધાર્મિક સમુદાયમાં ખળભળાટ

આ વીડિયો વાયરલ થયા બાદ ભક્તો અને ધાર્મિક સમુદાયમાં ખળભળાટ મચી ગયો છે.


આ પણ  વાંચો----    Iran-Israel Conflict: ઇઝરાયેલમાં રહેતા ભારતીયો માટે સરકારની એડ્વાઇજરી, સૂચનાઓનું કડક પાલન કરજો અને સતર્ક રહેજો

  • Follow us on: