અમદાવાદ શહેરના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. 10 કરોડ રૂપિયાના ખર્ચે વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન કરવાાં આવી રહ્યું છે. વસ્ત્રાપુર તળાવનું રિનોવેશન પૂર્ણ થવાની સાથે જ ટૂંક સમયમાં તેનું ઉદ્ધાટન કરવામાં આવશે. આ અંગે AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા માહિતી આપવામાં આવી છે.


વસ્ત્રાપુર તળાવનું ટૂંક સમયમાં ઉદ્ધાટન થશે

AMC રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર તળાવનું 10 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. હવે આ નવીનીકરણની કામગીરી પૂર્ણ થતા વસ્ત્રાપુર તળાવનું ઉદ્ધાટન ટૂંક સમયમાં જ કરવાાં આવશે. આ તળાવમાં મુલાકાતીઓ માટે 10 રૂપિયા પ્રવેશ ફી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

દોઢ વર્ષ સુધી ચાલી વસ્ત્રાપુર તળાવના નવીનીકરણની કામગીરી

વસ્ત્રાપુર તળાવમાં મોર્નિંગ વોક માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવશે. આ અંગે લોકો પાસેથી રિવ્યુ લીધા બાદ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વસ્ત્રાપુર તળાવના નવીનીકરણની કામગીરી દોઢ વર્ષ સુધી ચાલી હતી. દોઢ વર્ષ બાદ ફરી વસ્ત્રાપુર તળાવનું ઉદ્ધાટનના સમાચાર સામે આવતા શહેરીજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


 આ પણ વાંચો - Ahmedabad Crime News:જો કોઈ તમારી પાસે હોટલ રિવ્યુ કરાવે તો સાવધાન!યુવકે ગુમાવ્યા 7 લાખ રૂપિયા



  • Follow us on: