અમદાવાદ શહેરના પોલીસ બેડામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. અમદાવાદ શહેરને ટૂંક સમયમાં જ નવા પોલીસ કમિશનર (CP) મળવા જઈ રહ્યા છે. વર્તમાન પોલીસ કમિશનર જી.એસ. મલિક આગામી સોમવારે પોતાનો ચાર્જ છોડશે અને રાજ્યના નવા પોલીસ મહાનિદેશક (DGP) તરીકેનો પદભાર સંભાળશે. જેને પગલે અમદાવાદના આગામી પોલીસ વડા કોણ બનશે તે અંગે વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


જી.એસ. મલિક સંભાળશે રાજ્યના DGP તરીકેનો ચાર્જ

મળતી વિગતો મુજબ, વર્તમાન અમદાવાદ સીપી જી.એસ. મલિક સોમવારે વિધિવત રીતે પોતાનો ચાર્જ છોડી દેશે. ત્યાર બાદ તેઓ ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે શપથ લઈને રાજ્યના પોલીસ વડા તરીકેની નવી જવાબદારી સંભાળશે. નિયમ અને પરંપરા મુજબ, તેઓ નવનિયુક્ત અમદાવાદ પોલીસ કમિશનરને વિધિવત રીતે ચાર્જ સોંપ્યા બાદ જ રાજ્યના ડીજીપી તરીકેની કમાન પોતાના હાથમાં લેશે.

કમિશનર પદ માટે આ દિગ્ગજ IPS અધિકારીઓ રેસમાં

અમદાવાદ જેવા સંવેદનશીલ અને મહત્વના શહેરના કમિશનર પદ માટે રાજ્યના અનેક સિનિયર આઈપીએસ (IPS) અધિકારીઓના નામોની ચર્ચા હાલ જોરશોરથી ચાલી રહી છે. કમિશનર બનવાની આ રેસમાં મુખ્યત્વે નીચે મુજબના વરિષ્ઠ અધિકારીઓ મોખરે હોવાનું મનાઈ રહ્યું છે:

  • અનુપમસિંહ ગેહલોત
  • મનોજ શશીધરણ
  • રાજીવ રંજન ભગત
  • રાજકુમાર પાંડિયન
  • નીરજા ગોટરું
  • પીયૂષ પટેલ

આ ઉચ્ચ અધિકારીઓમાંથી ગૃહ વિભાગ કોના નામ પર આખરી મહોર મારે છે અને અમદાવાદના તાજ કોના શિરે મૂકવામાં આવે છે, તેના પર સમગ્ર પોલીસ પ્રશાસન અને સનદી અધિકારીઓની નજર મંડાયેલી છે. ટૂંક સમયમાં જ રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: