બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની કારપીણ હત્યા થઈ હતી. જેના પડધા ભારતમાં પણ પડ્યા છે. અમદાવાદ શહેરમાં આના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા અમદાવાદ શહેરમાં પાલડી ચાર રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બજરંગ દળ દ્વારા પુતળા દહન કરી મૃતક હિન્દુ યુવાનને ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે.


બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે

આ મામલે બજરંગ દળના સહ સંયોજક હિરેન રબારીએ જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. આ મામલે આંતરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ આંખ આડા કાન કરે છે. ભારતમાં પણ બાંગ્લાદેશીઓ રહે છે. જો આ મામલે ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ કરીશું. બાંગ્લદેશીઓ ભારતમાં ગેરકાયદેસર રીતે ધુસીને ગુનાખોરી પ્રવૃતી કરી રહ્યા છે. આવા લોકોને દેશ નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે.

ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું - બજરંગ દળ

બાંગ્લાદેશમાં હિન્દુ યુવાનની હત્યા મામલે વિરોધ પ્રદર્શન કરતા બજરંગ દળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં હત્યાની ઘટના બની છે, અલ્પસંખ્યક હિન્દુ પર બાંગ્લાદેશમાં સતત અત્યાચારો થઈ રહ્યા છે. આંતરાષ્ટ્રીય માનવ અધિકાર પણ આ મામલે આંખ આડા કાન કરે છે. આ સરકાર વતિ અમે બાંગ્લાદેશની સરકારને કહેવા માંગીએ છીએ કે, ભારતમાં પણ બાંગ્લાદેશી રહે છે. જ્યાં સુધી અવાજ નહીં સાંભળે, ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે વિરોધ કરીશું.


આ પણ વાંચો - Gandhinagar: બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, ધો. 10 અને 12 સામાન્ય પ્રવાહના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો


  • Follow us on: