અમદાવાદના સૈજપુર-નરોડા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે એક એક્ટિવાચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. લાંબા સમયથી તૂટેલું ગટરનું ઢાંકણું આ જીવલેણ અકસ્માતનું કારણ બન્યું હતું. એક્ટિવાચાલક તૂટેલા ઢાંકણા પાસે પટકાતાં તેને ગંભીર ઈજાઓ થઈ અને તેનું કરૂણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે તંત્રની બેદરકારીની પોલ ખોલે છે.
કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો
આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, તૂટેલા ઢાંકણા અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી ન હતી અને અધિકારીઓ ઉડાઉ જવાબ આપી છટકવાનો પ્રયાસ કરતા હતા.













