ગુજરાતમાં મોટા શહેરોમાં ગાંધીજીના હત્યારા નથ્થુરામ ગોડસે પર નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ અને જામનગરમાં આ નાટકનો ભારે વિરોધ થતાં શો રદ કરી દેવાયો હતો. હવે અમદાવાદમાં પણ આ નાટકનો શો રદ કરવાનો આયોજકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોની 75 ટકા ટિકીટો વેચાઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.
નાટકનો શો ભારે વિરોધને કારણે રદ
અમદાવાદના બોડકદેવમાં હું નથ્થુરામ ગોડસે નાટકનો શો ભારે વિરોધને કારણે રદ કરવામાં આવ્યો છે. ઠેર ઠેર વિરોધ થતાં આયોજકોએ નાટકના શો રદ કર્યા છે. આ શોની 75 ટકા ટિકિટો વેચાઈ ગઈ હોવાનું પણ નાટકના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. શહેરમાં સિંધુભવન પાસે AMCના પંડિત દિન દયાળ હોલ ખાતે આ નાટકનો શો યોજાવાનો હતો.













