અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 57 પાસે 50 થી 100 લોકોના ટોળાએ લારીઓ મૂકવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ખુલ્લે આમ પથ્થરમારો કર્યો હતો જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.


ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની

મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની હતી જેમાં ટોળાએ હાથમાં તલવારો, લાકડીઓ અને અન્ય મારક સાધનો લઇને હુમલો કર્યો હતો.

 દાદાગીરી કરીને રીતસર આતંક મચાવ્યો

મારક હથિયારો સાથે ધસી આવેલા ટોલાએ ખુલ્લેઆમ દાદાગીરી કરીને રીતસર આતંક મચાવ્યો હતો

પ્રાથમિક તપાસ પ્રમાણે, લારીઓ મૂકવા બાબતે ઝગડો ઉઠ્યો હતો. ઘટનાને લઇને 4 લોકોની અટકાયત કરી હતી, અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે તપાસ શરુ કરી

મેઘાણીનગર પોલીસ એ આ ઘટનાની ગંભીરતા જોઈને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે ઓળખાયેલા 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની પોલિસની ટીમો શોધખોળ કરી રહી છે.


આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

  • Follow us on: