લોકસાહિત્યકાર દેવાયત ખવડને ફરી હાઈકોર્ટમાંથી હંગામી રાહત મળી છે. તાજેતરમાં તેણે ચાંગોદર અને તાલાલા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ કરવા કોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે દેવાયત ખવડની ફરિયાદ રદ કરવાની અરજી મુદ્દે તપાસ અધિકારીને રિપોર્ટ સબમીટ કરવા હુકમ કર્યો હતો. હવે આ કેસમાં આગોતરા જામીનમાં તેને કોર્ટમાંથી રાહત મળી છે.


ખવડની ધરપકડ પર રોક 23 ફેબ્રુઆરી સુધી લંબાવાઇ

દેવાયત ખવડની ધરપકડ પર કોર્ટે 23 ફેબ્રુઆરી સુધી રાહત આપી છે. આ કેસમાં 23 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. અગાઉ સેશન્સ કોર્ટે તેની આગોતરા જામીન માટેની અરજી રદ કરી હતી. ચાંગોદરની ઘટના બાદ તેને મળેલા જામીન દરમિયાન તાલાલામાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ કોર્ટે શરતોના ભંગ બદલ જામીન રદ કર્યા હતાં.

દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પણ કુખ્યાત અને માથાભારે

દેવાયત ખવડે તાજેતરમાં ચાંગોદર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પીટિશન કરી હતી. આ પીટિશનની સુનાવણી દરમિયાન કોર્ટે મૌખિક ટકોર કરી હતી કે, દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પણ કુખ્યાત અને માથાભારે છે. કોર્ટે 9મી ફેબ્રુઆરી સુધી તાલાલાના કેસમાં રક્ષણ આપ્યું હતું. પણ આજે તેની મુદત પૂર્ણ થતી હોવાથી કોર્ટે હવે 23 ફેબ્રુઆરી સુધી તેની ધરપકડ પર રોક લગાવી છે. 


આ પણ વાંચોઃ Valsadના વાપીમાં ભડકમોરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યા, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો


  • Follow us on: