અમદાવાદ કોર્પોરેશને લીધેલા તમામ ફૂડ સેમ્પલમાં ચેકિંગમાં પાસ થયા છે, 95 ફૂડ સેમ્પલમાંથી એકપણ ફૂડ સેમ્પલમાં ભેળસેળ ન પકડાઈ અને 42 હજારના ખર્ચે AMCએ 17 ઓક્ટોબર થી 20 ડિસેમ્બર દરમ્યાન લીધા હતા સેમ્પલ, RTIમાં પૂછવામાં આવેલા સવાલમાં AMCના ફૂડ વિભાગે આપ્યો જવાબ અને RTIમાં મળેલા જવાબથી શહેરીજનોમાં ગણગણાટ વ્યાપ્યો છે.


AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે

AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે. આમ છતાં ફૂડ વિભાગની કામગીરીમાં કોઈ ફરક દેખાતો નથી. મ્યુનિ. ફુડ વિભાગે છેલ્લા બે મહિનામાં ૪૨ હજારના ખર્ચે લીધેલા એન્ફોર્સમેન્ટના ૯૫ સેમ્પલમાંથી એકેયમાં ભેળસેળ હોવાનું સાબિત થયું નથી. જ્યારે સર્વેન્સ સેમ્પલો અપ્રમાણિત જાહેર થયા છે. એટલું જ નહીં આરટીઆઇમાં બોડીવોન કેમેરાનું રેકોર્ડિંગ ન અપાતા ફૂડ અધિકારી સામે આશંકા સેવાઈ રહી છે. હોટેલની ગ્રેવી, પનીર, ગાવનું ધી, પામોલીન તેલ, બન, પાણીપુરીનું પાણી, કઢી સબસ્ટાન્ડર્ડ તેમજ સિંગપાક-દાબેલી અનસેફ હોવાનું બહાર આવ્યું છે.

ફૂડ વિભાગમાં બે મહિનામાં 140 ફરિયાદો આવી

મ્યુનિ. ફૂડ વિભાગ સમક્ષ બે મહિનામાં ૮૦ ફરિયાદ લેખિતમાં, ૬૦ ફરિયાદ સીસીઆરએસથી મળી છે, જેમાં સંપૂર્ણ તપાસ જ કરાઈ નથી. એટલું જ નહીં, ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા અમુક ફરિયાદોનો પોતાની જાતે જ નિકાલ કરી દેવાય છે. ફરિયાદને જવાબ સુદ્ધા મળતો નથી. જેના લીધે ભેળસેળિયા વેપારીઓ છાકટા થઈ જાય છે.


આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં ST બસના ચાલકે 3 લોકોને લીધા અડફેટે, અકસ્માતમાં એકની હાલત ગંભીર


 

  • Follow us on: