પ્રેમચંદનગર સોસાયટીમાં લાંબા સમયથી ચાલી રહેલો PGનો વિવાદ આજે રસ્તા પર આવી ગયો હતો. શાંત રહેણાંક વિસ્તારમાં પીજી સંચાલકોની કથિત મનમાની સામે રહીશોએ એકઠા થઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોનો આરોપ છે કે PGમાં રહેતા યુવક-યુવતીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ અને ન્યૂસન્સ (અડચણ) ઊભું કરવામાં આવે છે.
પીજી સંચાલકો અને સ્થાનિકો આમને સામને
રહીશોની માંગ છે કે AMC આ મામલે કડક કાર્યવાહી કરી કાયમી ધોરણે PG ખાલી કરાવે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે કોર્પોરેશન દ્વારા મકાનોને સીલ કરવામાં આવ્યા હતા, પરંતુ સંચાલકોએ કોઈ પણ કાયદેસરની મંજૂરી વગર આ સીલ તોડીને અંદર પ્રવેશ કર્યો છે. સોસાયટીના રહીશોએ એકઠા થઈને ઢોલ વગાડી તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો અને PG મુક્ત સોસાયટીની માંગ દોહરાવી હતી.













