અમદાવાદ શહેરમાં ગૌમાતાને કતલખાને લઈ જવાનો સિલસિલો યથાવત રહેતા ફરી એકવાર તણાવની પરિસ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રે પાલડી વિસ્તારમાં ગૌરક્ષકો અને કતલખાને ગાયો લઈ જઈ રહેલા લોકો વચ્ચે ઉગ્ર માથાકૂટ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી
મળતી માહિતી મુજબ, એક કારમાં ચાર ગાયોને કતલખાને લઈ જવાઈ રહી હતી. ગૌભક્તોને આ અંગે જાણ થતાં તેમણે કારને રોકી કસાઇને ઝડપી લીધો હતો. આ સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.













