આગામી હોળી ધૂળેટીના પર્વે પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે જે મુજબ અમદાવાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં કેટલાક આદેશોનું પાલન કરવા નાગરિકોને સૂચના અપાઇ છે.
કેટલાક શખ્સ દ્વારા હોળી ધૂળેટીના પૈસા ઉઘરાવાય છે તથા તેમની પર રંગ નાખે છે
આગામી 3 માર્ચે હોળી અને 4 માર્ચે ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે. સામાન્ય રીતે હોળી -ધૂળેટી તહેવારની ઉજવણી માટે લોકો સોસાયટીઓ, શેરી નાકા, જાહેર સ્થળો પર અને ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકત્ર થતાં હોય છે. ઉજવણી દરમિયાન જાહેર જગ્યાઓએ આવતા જતા રાહદારીઓ તથા વાહોનમાં આવતા જતા લોકો પાસેથી કેટલાક શખ્સ દ્વારા હોળી ધૂળેટીના પૈસા ઉઘરાવવા તથા તેમની પર રંગ કે રંગ મિશ્રિત પાણી અને સિન્થેટિક રંગો ઉપરાંત કાદવ કિચડ અથવા તૈલી વસ્તુઓ ફેંકવાની શક્યતા છે જેથી જાહેર જનતાને જોખમ ઉભુ થાય છે અને સુલેહ શાંતિનો પણ ભંગ થઇ શકે તેવી શક્યતાઓ હોય છે.













