અમદાવાદ જિલ્લાના વિરમગામ-માંડલ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. વિરમગામના ભોજવા ગામ પાસે આવેલી નર્મદા કેનાલ નજીક ગુજરાત રાજ્ય પરિવહન નિગમની એસટી બસ અને એક ખાનગી કાર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.


કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર, ભોજવા ગામ નજીક કેનાલ પાસે કાર અને એસટી બસ સામસામે અથડાયા હતા. આ ઘટનામાં કુલ 5 થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. અકસ્માતને પગલે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી,

સદનસીબે, આટલા મોટા અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જેને કારણે તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. અકસ્માતને કારણે વિરમગામ-માંડલ રોડ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની અને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે. 


આ પણ વાંચો----  Gujarat Local Body Election Results 2026: ગુજરાતી જનતાનો જોરદાર કરંટ, 'પાર્ટી' ગઈ તેલ લેવા, આ હાઈપ્રોફાઈલ ઉમેદવારોને ઘેર રવાના કર્યા

  • Follow us on: