અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) આયોજન વગર જ કામો કરે છે તેનો વધુ એક દાખલો બહાર આવ્યો છે. દોઢ વર્ષ પહેલા ઇસનપુર વિસ્તારમાં ખાલી પ્લોટમાં 700 વૃક્ષો વાવ્યા હતા. હવે ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા માટે કોર્પોરેશન આ 700 વૃક્ષોનું નિકંદન કાઢશે
ઢોલ-નગારા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો,
AMC દ્વારા ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે. જાણકારી મુજબ અગાઉ ઢોલ-નગારા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો પણ હવે વિકાસના નામે આ જ વાવેલાં વૃક્ષોને કાપી નાખવાનું આયોજન કરાયું છે.













