ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓ મોડી રાત સુધી રાજ્યના રસ્તાઓ પર દોડી રહી હતી. પતંગોત્સવની ઉજવણી વચ્ચે ઉતરાયણની રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 5 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે.
આ વર્ષે 734 કેસનો વધારો નોંધાયો
ગયા વર્ષે ઉત્તરાયણ દરમિયાન કુલ 4266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે તેમાં 734 કેસનો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ઉત્તરાયણ દરમિયાન વધતા અકસ્માતો અને ઇજાઓની ગંભીરતા દર્શાવે છે.













