ઉત્તરાયણના તહેવારમાં પવન કેવો રહેશે તે વિશે પતંગ રસિકોને ભારે ઉત્સુક્તા જોવા મળતી હોય છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીએ ઉતરાયણમા પવન કેવો રહેશે તેની સંભાવના વ્યક્ત કરી છે.
દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે
પરેશ ગોસ્વામીના અનુસાર, વહેલી સવારે શહેર-ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે અને સવારે થોડી ઝાકળ પણ જોવા મળી શકે છે. દિવસ દરમિયાન વાતાવરણ ખુલ્લું અને મોસમ અનુકૂળ રહેશે.













